Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિગોની ૧૬પ પેસેન્જરને લઈ જતી ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ

વિમાન અચાનક પક્ષી સાથે અથડાયું:

                                                                                                                                                                                                      

મુંબઈ તા. રઃ મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ માંડ માંડ મોટી દુર્ઘટનાનો ભોગ બનતા અટકી છે. ઊડાન સમયે ફ્લાઈટ સામે અચાનક પક્ષી અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયવાહ હતો તે ફ્લાઈટે યૂ-ટર્ન લઈ નાગપુર પરત આવવું પડ્યું. નાગપુર એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરાવ્યું હતું. નાગપુર એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

નાગપુર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા પ્રમાણે ફ્લાઈટે આજે સવારે નાગપુરથી કોલકાતા જવા ઊડાન ભરી હતી, પરંતુ ઊડાન ભર્યાની થોડી ક્ષણોમાં જ વિમાન અચાનક પક્ષી સાથે અથડાયું હતું. આ પ્લેનમાં ૧૬૦-૧પ લોકો સવાર હતાં. પાયલટે સાવચેતીને ધ્યાનમાં લેતા ફ્લાઈટ પાછી વાળી હતી અને તેનું નાગપુરમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું હતું. આજ માટે આ ફ્લાઈટ રદ્ કરવામાં આવી છે. નાગપુર એરપોર્ટના સિનિયર એરપોર્ટ ડિરેક્ટર આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, અમે ઘટનાનું નીરિક્ષણ કરી રહ્યા છીએ. વિમાનનું પણ પરીક્ષણ કરી રહ્યા છે. પેસેન્જરની સલામતીના પગલે આજની આ ફ્લાઈટ રદ્ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh