Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યાઃ
અંકલેશ્વર તા. ર૭: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન એક બાળકીનું કરૂણ મોત થયું છે. જ્યારે આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાંથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ-પાછળ બાળકો નાચી રહ્યાં હતાં. આ દરમિયાન ડીજેનો ટેમ્પો અચાનક રિવર્સ આવતા પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંગ સહિત અન્ય બાળકોને હડફેટે લીધા હતાં. ગંભીર ઈજાઓને કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાકળોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ટેમ્પોના ડ્રાઈવર રાકેશે પોતાનું વાહન સોસાયટીના રહેવાસી ચિરાગ વ્યાસને ચલાવવા આપ્યું હતું. ચિરાગ વ્યાસે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યો હતો અને વધુ અને વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial