Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત સમાજ તથા પોલીસ દ્વારા દશેરાની પરંપરાગત ઉજવણીઃ શસ્ત્રપૂજન

ધારાસભ્ય રીવાબા જાડેજા, એસ.પી. ડૉ. રવિ મોહન સૈની સહિતના અગ્રણીઓ અલગ અલગ સ્થળે જોડાયાઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં દશેરા નિમિત્તે પરંપરાગત રીતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાજપૂત સમાજમાં આયોજીત શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ પ્રમુખ પી.એસ.જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), યુવા નેત્રી નયનાબા જાડેજા સહિતનાં ક્ષત્રિય અગ્રણીઓ જોડાયા હતાં. ધારાસભ્ય રીવાબા જાડેજા એ શસ્ત્ર પૂજનની પરંપરાને રાજપૂત સમાજની ઓળખ સમાન ગણાવી સમગ્ર આયોજન બદલ જિલ્લા રાજપૂત યુવા સંઘને અભિનંદન પાઠવ્યા હતાં. જામનગર જિલ્લા પોલીસ દ્વારા પણ પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસવડા ડૉ. રવિ મોહન સૈની તથા શહેર ડિ.વાય.એસપી .જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડી.વાય.એસ.પી. આર. બી. દેવધા સહિતના અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પોલીસના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ અશ્વ પૂજનની પરંપરા પણ નિભાવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh