Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંક ઓફ બરોડા જામનગર રીજીયન દ્વારા
બેંક ઓફ બરોડાના જામનગર રીજનલ કચેરી દ્વારા કાલાવડમાં કિસાન પખવાડા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો જેમાં કૃષિ વિકાસ અને ગ્રામ્ય આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન બેંકે કુલ રૂ. ૬૪ કરોડની કૃષિ લોનની મંજુરી આપી જેનો ૧૫૨ કરતા વધુ ખેડૂતોને લાભ મળ્યો. આ પ્રસંગે જનરલ મેનેજર શ્રી મુખ્તાર સિંહ, ડેપ્યુટી જનરલ મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ), શ્રી સુશીલ કુમાર, રીજનલ મેનેજર શ્રી દિવાકર ઝા, ડીઆરએમ શ્રી નવિ સહા તેમજ અન્ય અધિકારીઓ, બેન્ક સ્ટાફ અને લાભાર્થી ખેડૂતોની ઉપસ્થિતીમાં વિવિધ લોન ખાતાઓ જેમ કે બીકેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) ખેતી અને સંબંધિત કાર્યો માટે આર્થિક સહાય, ફુડ એગ્રો લોન, બીએએચએફકેસીસી પશુપાલન અને ખેતીના સાધનો, ટ્રેકટર અને પાક લોન તેમજ ગામડાના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે માઈક્રોફાઈનાન્સ અને એસએચજી લોન જેવી વિવિધ યોજના અંતર્ગત ખેડૂતોને જાગૃત કરવા અને તેમની સુવિધા માટે સફળ માર્ગદર્શન અપાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial