Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્તના મિત્રએ પોલીસમાં કરી ફરિયાદઃ
જામનગર તા. ૩૧: જામનગરના નાગનાથ નાકા પાસે ગઈકાલે સાંજે ઉઘરાણીના કામે આવેલા એક શખ્સે બોલાચાલી દરમિયાન એક યુવાન પર છરીથી હુમલો કરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આ યુવાનને તેના મિત્રએ હોસ્પિટલમાં ખસેડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલમાં જૂની જેલ રોડ પર લંઘા શેરીમાં રહેતા અને ઓરકેસ્ટ્રાનું કામ કરતા ઈનાયતભાઈ બશીરભાઈ હાજી ગઈકાલે પોતાના કામસર જામનગર આવ્યા હતા. તેઓ ગઈકાલે સાંજે પોતાની મોટર નાગનાથ નાકા પાસે એક હોટલ નજીક રાખી ચા પીતા હતા ત્યારે તેમની સાથે રઉફ નામનો યુવાન હતો.
આ વેળાએ ત્યાં ધસી આવેલા નદીપામાં વાલબાઈ મસ્જીદ પાસે રહેતા શરીફ સતાર ઉર્ફે દારૂ નામના સીદી બાદશાહ શખ્સે રઉફ પાસે ઉઘરાણી કરી હતી. રઉફે પૈસા આપી તો દીધા તેમ કહેતા ગાળો ભાંડી હતી તેથી રઉફે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શરીફ સતારે પોતાની પાસે રહેલી છરી કાઢી રઉફ પર હુમલો કરી દીધો હતો. જેમાં ડાબા હાથમાં ખભ્ભા નીચે અને બીજો ઘા કાંડા પાસે તેમજ પગમાં છરી હુલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીફ સતાર નાસી ગયો હતો. સાથે રહેલા ઈનાયતભાઈએ રઉફને સારવારમાં ખસેડયા પછી મોડીરાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial