Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'ચંદ્ર સરોવર'માં પુષ્ટી નવ વિલાસ રાસોત્સવનું ભવ્ય આયોજન

શ્રી મોટી હવેલીના ઉપક્રમે આયોજીત રાસોત્સવમાં હજારો વૈષ્ણવો થઈ રહ્યા છે ધન્યઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં મોટી હવેલીના ગાદીપતિ પ.પૂ.શ્રી ૧૦૮ હરિરાયજી મહારાજ તથા પૂ. શ્રી વલ્લભરાયજી મહોદયની આજ્ઞાથી મયુર ટાઉનશીપ પાસે નવરાત્રિમાં પુષ્ટી નવ વિલાસ રાસોત્સવનું આઠમા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. પૂ.વલ્લભરાયજી મહોદયની આજ્ઞા મુજબ કાર્યક્રમના મેદાનને 'ચંદ્ર સરોવર'નામ આપવામાં આવ્યું છે. અહીં પુષ્ટી માર્ગીય કીર્તન પર હજારો વૈષ્ણવ રાસ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રતિદિન ૩-૪ હજાર મહિલાઓ તથા ૨-૩ હજાર પુરૂષો અહીં રાસ રમે છે ત્યારે જાણે સખાઓ અને ગોપીઓ સંગ પ્રભુ રાસલીલા કરતા હોય એવો ભાવ પ્રબળ બને છે અને વૃંદાવનનું વાતાવરણ નિર્મિત થાય છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા બાવાશ્રીની આજ્ઞા અનુસાર સ્વયંસેવક વૈષ્ણવો પરિશ્રમ કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh