Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જૈન સમાજ દ્વારા ક્ષમાપના પર્વની ઉજવણી-પારણાં: શોભાયાત્રા

'મિચ્છામી દુક્કડમ' સ્થાનકવાસી જૈન સંઘના ૧૦૬ તપસ્વીઓની આજે સવારે શોભાયાત્રા યોજાઈઃ જૈન અગ્રણીઓ ઉપસ્થિત

                                                                                                                                                                                                      

વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વ યુદ્ધનાં ભણકારા સાંભળી રહૃાુ છે ત્યારે જૈન સમાજની 'મિચ્છામી દુક્કડમ' ની પરંપરા સમગ્ર વિશ્વને શાંતિનાં માર્ગે લઇ જનારી છે. માનવ સમુદાયમાં પરસ્પર સદભાવ જાળવવા એકબીજાની માફી માંગી સંબંધોને નવું ઉત્થાન આપવુ એ જ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સચોટ કિમીયો છે. જામનગરમાં જૈન સમાજ દ્વારા 'મિચ્છામી દુક્કડમ' સાથે ક્ષમાપના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈનોએ સમાજનાં તથા જેમની પણ સાથે સંબંધ હોય એવા ઇતર સમાજનાં લોકોને પણ મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુઃખવ્યુ હોય તો એ માટે ક્ષમાપ્રાર્થના કરી હતી. ઉપરાંત ૮ થી લઇ ૩૦ ઉપવાસ સુધીની તપસ્યા કરનારા તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ હતી તથા આજે સામૂહિક પારણાંનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh