Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાઆરતી, લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો
ભાટિયા તા. ર૮: ભાટિયા લોહાણા મહાજન દ્વારા પૂ. જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતીની આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે.
ભાટિયા લોહાણા, મહાજન દ્વારા પૂજ્ય જલારામ બાપાની રર૬ મી જનમ જયંતીની ભવ્ય ઉજવણી તા. ર૯-૧૦-ર૦રપ ને બુધવારના ભાટિયા લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવશે.
જેમાં તા. ર૯-૧૦-ર૦રપ ના સાંજે ૪-૩૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રા લોહાણા મહાજન વાડીથી નીકળશે. જે ગામના દીનદયાલ ચોક થઈ શ્રી જલારામ મંદિરે પહોંચશે અને સાંજે ૬-૪પ વાગ્યે જલારામ મંદિરે મહાઆરતી યોજાશે.
ત્યારપછી સાંજે ૭-૩૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં સમૂહ જ્ઞાતિ ભોજન- પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો રાખવામાં આવેલ છે, જેમાં દરેક લોહાણા જ્ઞાતિ પરિવારોએ સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાટિયા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial