Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૬મી જયંતિની ઉજવણી
'છોટીકાશી' જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિનાં ઉપક્રમે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સેવા પ્રકલ્પો અંતર્ગત લોહાણા જ્ઞાતિનાં ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. 'જલારામ નગર', પ્રણામી સંપ્રદાય મેદાન, પ્રણામી સ્કૂલ મેદાન, નવાનગર બેંક સામે, હિરજી મિસ્ત્રી રોડ, જામનગરમાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનાં સમૂહ ભોજન (માસ્તાન) પછી લોહાણા જ્ઞાતિજનો માટે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઇ લાલ, રાજ્ય સભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઇ માધવાણી, લોહાણા અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતનાં રઘુવંશી અગ્રણીઓ દ્વારા જલારામ બાપાની આરતી અને પૂજન અર્ચન કરી જ્ઞાતિ ભોજનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જલારામ જયંતિ મહોત્સવ સમિતિનાં સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, હસિત પોપટ, કૌશલ દત્તાણી, નિશીત રાયઠઠ્ઠા, નિલ મોદી, વ્યોમેશ લાલ, રાજદીપ મોદી, વિશાલ પોપટ, રાજુ કાનાબાર, ધૈર્ય મપારા, હિરેન રૃપારેલીયા, રવિ અઢીયા, સહિતની ટીમ દ્રારા સમગ્ર વ્યવસ્થાનું સંકલન કરવામાં આવ્યુ હતું. હજારો રઘુવંશીઓ સમૂહ ભોજનનો લાભ લઇ ધન્ય થયા હતાં અને 'દેને કો ટુકડો ભલો - લેને કો હરીનામ' નાં સૂત્રને અનુસરી જલારામ વંદના કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial