Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડીલો વાાગોળે છે સંસ્મરણોઃ 'હેલ્થ'નું કારણ પણ ખરૂ
ખંભાળિયા તા. ૩૧: આજે શિતળા સાતમ છે. શ્રાવણ માસની પ્રથમ સાતમને નાની સાતમ કહે છે તથા પ્રાચીન સમયમાં લોકો સાતમના આગલા દિવસ રાંધણ છઠ્ઠના ટાઢું બનાવી અને સાતમના ઠંડું જમતા તથા ચૂલાની પૂજા કરીને એમ જ ચૂલો પેટાવ્યા વગર રાખીને શિતળા સાતમના મંદિરે નાળિયેર-કુલેરનો પ્રસાદ ધરાવતા તથા ટાઢું ખાતા તે પ્રથા હવે ધીરે ધીરે ભૂલાવા લાગી છે. આજની સ્થિતિ જોઈએ તો પચાસેક ટકા લોકો હવે સાતમ પાળતા નથી 'ટાઢું' બનાવતા કે જમતા નથી ત્યારે હાલના પ્રૌઢ લોકો પ્રાચીન સંસ્મરણો વાગોળે છે.
ખંભાળિયાના હસમુખ કંસારા, યોગેશ આચાર્ય, નીતિન ગણાત્રા, દિલીપ કછટિયા, રામભાઈ કછટિયા, નીતિન આચાર્ય, કમલેશ જોષી, નરેશ કંસારા, હિતેષ હર્ષ વિગેરેએ જુની યાદો તાજી કરતા જણાવેલ કે શ્રાવણ માસની નાની તથા મોટી સાતમ બન્ને સમયમાં ટાઢું બનતું તથા તેમાં પણ સક્કરપારા, ખાજા, તીખા ગાંઠિયા, મીઠી-તીખી પૂરી-થેપલાના તથા મીઠાઈના ડબરા ભરી રખાતા જે દિવસો સુધી નાસ્તામાં ચાલતા પણ હવે 'ટાઢું' બનવાનું જ ઓછું થઈ ગયું છે તો શિતળા સાતમ તથા મોટી સાતમના શિતળા માતાજીના મંદિરે ભાવિકો ઉમટતા તથા સવારનો નાસ્તો દર્શન અને કુલેરનો પ્રસાદ લીધા પછી જ કરતા તે પ્રથા પણ હવે ખાવાથી બીમાર પડતા હોવાની માન્યતાથી 'ટાઢું' બનાવવાનું બંધ થવાનું એક કારણ છે, ત્યારે પ્રૌઢો 'ટાઢા' ભોજનની કમીને વાગોળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial