Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપનાનું નવું ભારત બનાવવા માટે શપથ લેવાયાઃ
જામનગર તા. ૨૧: ગત તા. ૩/૧૦/૨૦૨૫ના મિશન નવ ભારત(મિશન ન્યુ ઇન્ડિયા) નો શપથ સમારોહ અમદાવાદ શહેરની મુખ્ય શાખામાં યોજાયો હતો.આ સમારંભમાં તમામ સભ્યોએ એક સ્વરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના નું નવું ભારત બનાવવા માટે શપથ લીધા હતા. તેમજ શપથ ના મુખ્ય વિષયો જેવા કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, સ્વદેશી અપનાવો, બ્લડ ડોનેશન અને જળ સંરક્ષણ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ શપથ સમારોહ મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈનાં નેતૃત્વ હેઠળ યોજાયો હતો જેમાં મિશન નવ ભારતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યનાં અધ્યક્ષ સ્થાને તેમજ આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચના મહામંત્રી પરમ પૂજ્ય શ્રી શંકરગિરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પ્રમુખ અક્ષયભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સુનિલ મહેતા, જામનગર શહેર પ્રમુખ રાજેશ કારીયા તથા ગુજરાત પ્રદેશ અને જામનગર જિલ્લા ના મહિલા હોદ્દેદારોનું ભારત માતાની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial