Advertisement
Author: નોબત સમાચાર

૧૫થી ૩૫ની વયના યુવક-યુવતીઓ માટે ઝોન કક્ષાની સાહસ શિબિર યોજાશે

ગીર સોમનાથમાં સૌરાષ્ટ્ર ઝોનના

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સહાસિક અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી / કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા,જમવા અને પ્રવાસભાડું સરકાર દ્વારા આપવામાં આવશે. આ શિબિર પાંચ દિવસની નિવાસી શિબિર રહેશે. આ તાલિમ શિબિરમાં એન.સી.સી., એન.એસ. એસ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તીઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તીઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.        ભાગ લેવા ઇચ્છુકોએ યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, મુ.ઇણાજ તા. વેરાવળમાં અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ પ્રમાણિત કરી તા.૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh