Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનપર-શેરડીની ગોળાઈમાં બાઈક પરનો કાબૂ ગૂમાવ્યા પછી ચાલકનું મૃત્યુઃ
જામનગર તા. ૧૫ઃ દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર ભીમરાણા ગામ પાસે ગુરૃવારે સાંજે એક બાઈક આડે રખડતું ઢોર ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. ઘવાયેલા દ્વારકાના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે અઢી મહિના પહેલાં કલ્યાણપુરના કાનપર શેરડી ગામ પાસે ગોળાઈમાં બાઈક તેના ચાલકના કાબૂ બહાર જતાં પછડાયેલા ભાડથર ગામના યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. તેઓનું પણ મૃત્યુ થયું છે. પોલીસે બંને અકસ્માતની તપાસ શરૃ કરી છે.
દ્વારકા શહેરમાં મુરલીધર ટાઉનશીપમાં રહેતા રજતભાઈ રમેશભાઈ કોટક નામના એકત્રીસ વર્ષના લોહાણા યુવાન ગુરૃવારે સાંજે સાડા છએક વાગ્યે ઓખા માર્ગ પર જીજે-૧૬-એએચ ૭૬૮૧ નંબરના મોટરસાયકલમાં જતા હતા.
આ યુવાન મીઠાપુરથી દ્વારકા પરત ફરતી વખતે જ્યારે ભીમરાણા ગામ પાસે પહોંચ્યા ત્યારે અચાનક રખડતુ ઢોર રોડ પર આવી જતા તેની સાથે રજતભાઈનું મોટરસાયકલ ટકરાઈ પડ્યું હતું. રોડ પર પછડાયેલા રજતભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થયા પછી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા રમેશભાઈ જયંતિભાઈ કોટકે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામમાં ખાટલાધાર વાડી વિસ્તારમાં વસાવટ કરતા સાગરદાન જેસાભાઈ અવસુરા (ઉ.વ.૩ર) નામના યુવાન ગઈ તા.ર૪ ઓગસ્ટની રાત્રે સાડા આઠેક વાગ્યે કાનપર શેરડી ગામથી ચપર ગામ તરફ જીજે-૩૭-એચ ૬૧૨૫ નંબરના મોટરસાયકલમાં જતા હતા.
તેઓ કાનપર-શેરડી નજીક પુલીયા પાસે ગોળાઈમાં પહોંચ્યા ત્યારે સ્પીડના કારણે રોડ પર ગોળાઈ ન થઈ શકતા સાગરદાન ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ ભરતભાઈ અવસુરાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial