Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન વેચવા બાબતે વૃદ્ધને મરાઈ દાટીઃ
જામનગર તા. ૮: જામનગરના ગુલાબનગર પાસેના નારાયણનગરમાં રહેતા એક વિપ્ર વૃદ્ધને તે જ વિસ્તારના શખ્સે મકાન વેચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે. જ્યારે શેરડીના રસની દુકાન ન ખોલવાનું ફરમાન કરી એક શખ્સે પિતા-પુત્રને ગાળો ભાંડી પતાવી દેવાની દાટી માર્યાની રાવ કરાઈ છે.
જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા નારાયણનગરમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકરભાઈ પંડયા નામના વૃદ્ધને ગઈકાલે બપોરે ત્યાં જ રહેતા ગિરૂભા સોઢા નામના શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી.
અગાઉ નીતિનભાઈના પુત્રને ગિરૂભા સોઢાએ માર માર્યાે હતો. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે પછી નીતિનભાઈના ઘર પાસે અવારનવાર અન્ય લોકો સાથે એકઠા થતાં રહેતા ગિરૂભાએ ગઈકાલે મકાન વેચવાની બાબતે ધમકી આપ્યાની રાવ સાથે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસમાં રહેતા અને વિકાસગૃહ પાસે શાળાની સામે આશાપુરા રસધારા નામની શેરડીના રસની દુકાન ચલાવતા મનિષભાઈ બાબુલાલ ઠક્કર અને તેમનો પુત્ર બુધવારે બપોરે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં ધસી આવેલા રાંદલનગરવાળા બળદેવસિંહ સાહેબજી જાડેજા ઉર્ફે લાલીયા નામના શખ્સે દુકાન બંધ કરી દેવાનું ફરમાન કરી હવે દુકાન ખોલતો નહીં તેવો હુકમ કરતા મનિષભાઈએ દુકાન ખોલવાની કેમ ના પાડો છો તેમ પૂછ્યું હતું તેથી ગાળો ભાંડી લાલીયાએ મનિષભાઈ તથા તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી બી ડિવિઝનમાં મનિષભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial