Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરમાં ગટરના ગંધાતા પાણીનું પીવાના પાણી સાથે મિશ્રણઃ આરોગ્ય પર ખતરો

રોડ પર ગંદા પાણીથી મચ્છરો પેદા થતા વકરતો રોગચાળોઃ

                                                                                                                                                                                                      

જામનગરના ગોકુલનગર, વૃંદાવન પાર્ક ૧ તથા ર મા ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણી સાથે મિશ્રીત થતાં હોવાની વધુ એક વખત લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના ગુલાબનગર, વૃંદાવન ધામ ૧ અને ર મા ભૂગર્ભ ગટર સતત છલકાઈ રહી છે. જેના ગંદા પાણી રોડ ઉપર ફરી વળે છે. ઉપરાંત પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણી મિશ્રીત થાય છે. ચોમાસાની સિઝનમાં ગંદા પાણીના ફેલાવાથી મચ્છરની સમસ્યા ઉત્પન્ન થાય છે અને તેના કારણે રોગચાળો વકરે છે. આ પ્રશ્ને સ્થાનિક રહેવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh