Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જામ્યુકો કમ્પાઉન્ડમાં ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ અભિયાન

શાસક પક્ષ પર કમિશનના વિપક્ષના આરોપો વચ્ચે કેવો સંયોગ !

                                                                                                                                                                                                      

જામનગરમાં શુક્રવારે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં તથા નાગરિકો સાથે સંવાદ કરી ભ્રષ્ટાચાર વિરોધી ૧૦૬૪ હેલ્પલાઈન તથા તેને સંલગ્ન કાયદાઓની સમજ આપવામાં આવી હતી. આમ તો આ એન્ટી કરપ્શન બ્યૂરોના જનજાગૃતિ અભિયાનનો એક કાર્યક્રમ હતો, પરંતુ તેના સમયને લઈને એક સંયોગ રચાઈ ગયો છે. ગુરૂવારે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ પર વિકાસ કાર્યોમાં ૪૦% કમિશન વડે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી એ અંગેના સ્ટીકર પણ મહાનગરપાલિકામાં લગાડવામાં આવ્યા હતાં. જ્યારે શુક્રવારે એસીબી દ્વારા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિના સ્ટીકર લગાડવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh