Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી થીમ મુજબ
જોડિયા તા. ૨૮: આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના નિદર્શન હેઠળ ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૫ની ઉજવણી માટેની થીમ 'આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ' અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડીયા દ્રારા હોસ્પિટલમાં ભગવાનની પૂજા કરવામા આવેલ. ત્યારબાદ શ્રી સ્ત્રી હુન્નર કન્યા શાળા જોડીયામાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ શાળાના ટ્રસ્ટીઓ અશોક વર્મા, દાતા સંજયભાઇ તન્ના મુંબઇ, સરપંચ, તાલુકા/ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો, વૈધ આનંદ ડી.જયસ્વાલ વૈધ પંચકર્મ વર્ગ-૧,વૈધ ફોરમબેન એસ.પરમાર મેડિકલ ઓફિસર વર્ગ-૨ દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુર્વેદ સંદેશ પઠન પછી પોષણ માહ-૨૦૨૫ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આયુર્વેદ વ્યાખ્યાન આયોજન કરેલ જેમા મહિલા તબીબ દ્રારા કિશોરીઓને આયુર્વેદ અને જીવનશૈલી તેમજ સ્ત્રીરોગો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિદાન સારવાર કેમ્પનો ૧૪૫ લાભાર્થીઓએ તેમજ આરોગ્ય જાગૃતિનો ૨૪૫ લાભાર્થીઓએ લાભ લીધો હતો. લાભાર્થીઓને માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કરાયુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial