Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનઆરઆઈ ઉદ્યોગપતિ અને દાનવીર
નવી દિલ્હી તા. રરઃ એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું અવસાન થયું છે. તેઓએ ૯૪ વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા છે.
પ્રખ્યાત એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું ગુરુવારે સાંજે લંડનમાં અવસાન થયું. તેમના મૃત્યુની માહિતી પરિવારના સૂત્રોએ આપી. તેઓ ૯૪ વર્ષના હતાં.
યુકે સ્થિત કેપારો ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક લોર્ડ પોલ તાજેતરમાં બીમાર પડ્યા હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
હાઉસ ઓફ લોર્ડસના સભ્ય સ્વરાજ પોલનો જન્મ જલંધરમાં થયો હતો અને તેઓ ૧૯૬૦ ના દાયકામાં તેમની નાની પુત્રી અંબિકાના કેન્સરની સારવાર માટે બ્રિટન આવ્યા હતાં. અંબિકાનું માત્ર ૪ વર્ષની ઉંમરે અવસાન થયા પછી તેમણે 'અંબિકા પોલ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી, જેણે વિશ્વભરમાં બાળકો અને યુવાનો માટે શિક્ષણ અને આરોગ્ય યોજનાઓ માટે લાખો પાઉન્ડનું દાન કર્યું.
લોર્ડ પોલે ગયા મહિને લંડનમાં અંબિકા પોલ ચિલ્ડ્રન્સ ઝૂ માં આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, લંડન પ્રાણી સંગ્રહાલય એ સ્થળ છે જ્યાં તે હંમેશાં સૌથી ખુશ રહેતી હતી. તે ફાઉન્ડેશનનો મુખ્ય લાભાર્થી રહ્યો છે. ર૦૧પ માં પુત્ર અંગદ પોલ અને ર૦રર માં પત્ની અરૂણાના અવસાન પછી તેમણે તેમની યાદમાં ઘણાં સેવા કાર્યો પણ કર્યા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial