Advertisement
Author: નોબત સમાચાર

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા યોજાઈ ''વેલકમ નવરાત્રિ''

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન તથા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન તથા ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મ મિત્ર મંડળના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ અને હોદ્દેદારોની આગેવાનીમાં 'વેલકમ નવરાત્રિ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ડાયરેકટર અસ્મિતાબેન ભટ્ટ તથા મૌલિક ભટ્ટે તૈયાર કરી હતી.

આ કાર્યક્રમમાં ઝાલાવાડી સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો તથા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પરંપરાગત ગરબાના માહોલમાં ચોકડીરાસ, પંચીયારાસ, તાલીરાસ,  ફ્રી સ્ટાઈલ, વેલ ડ્રેસની સ્પર્ધાઓ યોજાઈ હતી. દરેક કેટેગરીના પ્રથમ અને દ્વિતીય વિજેતાઓને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તરફથી પુરસ્કારો આપવામાં આવ્યા હતા. હેરીટેજ ડ્રેસવાલા તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

આ ઉજવણી પ્રસંંગે અશોકભાઈ ભટ્ટ તથા અસ્મીતાબેન ભટ્ટે પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતું. જ્ઞાતિના અગ્રણીઓ અને મંડળના હોદ્દેદારો દ્વારા અશોકભાઈ ભટ્ટ, અસ્મીતાબેન ભટ્ટ તથા મૌલિકભાઈ ભટ્ટનો આભાર માનવામાં આવ્યો હતો. જ્યારે જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો તે બદલ આયોજકોએ આભાર માન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh