Advertisement
Author: નોબત સમાચાર

કલેક્ટર સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ રાષ્ટ્રીય એકતાના લીધા શપથ

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧ઃ સમગ્ર દેશમાં તા.૩૧ ઓકટોબરના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રતિવર્ષ રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ કલેકટર કચેરીના સભાખંડમાં શપથ લીધા હતા. જે આ મુજબ છે, હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યાે દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરીક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો ગંભીરતાથી સંકલ્પ કરૃં છું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh