Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા પણ હુકમઃ
જામનગર તા. ૩૧ઃ જામનગરના એક આસામીએ અમદાવાદના રહેવાસી સામે અદાલતમાં રૂ.૧૫ લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ નામના આસામી પાસેથી અગાઉ જામનગરમાં રહેતા અને હાલમાં અમદાવાદમાં રહેતા પ્રમુખ મોટર્સના નામથી મોટરની લે-વેચનો વ્યવસાય કરતા પપ્પુભાઈ ઉર્ફે નરેન્દ્ર ઘનશ્યામદાસ ઠક્કરે જુદી જુદી ગાડીના ફોટા બતાવી કિશોરસિંહ પાસેથી રૂ.૧પ લાખ મેળવ્યા હતા.
તે રકમની ચૂકવણી માટે નરેન્દ્ર ઘનશ્યામદાસે ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. તેથી નરેન્દ્ર ઘનશ્યામદાસ સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નરેન્દ્ર ઉર્ફે પપ્પુભાઈને તક્સીરવાન ઠરાવી બે વર્ષની સજા તથા રૂ.૧૫ લાખનો દંડ ફટકાર્યાે છે, દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ અશ્વિન બારડ, મિતુલ મલકાણ રોકાયા હતા. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી સજાનું વોરંટ ઈસ્યુ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  