Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે મોડીરાત્રે બાઈક સાથે અથડાયો હતો છકડોઃ
જામનગર તા. ૩૦: જામનગરથી રવિવારની રાત્રે ભોળેશ્વર દર્શન કરવા જવા માટે નીકળેલા બે યુવાનના બાઈક સાથે લાલપુરના હરીપર ગામ નજીક છકડો ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં બંને યુવાન ઘવાયા પછી એક યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના સંબંધીની ફરિયાદ પરથી છકડાચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા હરીપર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રે જામનગરના પારસભાઈ અશોકભાઈ લખીયર (ઉ.વ.રર) નામના યુવાન પોતાના મિત્ર દિપેશભાઈ સાથે પસાર થતા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના ભોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આ યુવાનો રાત્રે જામનગરથી જીજે-૧૦-ડીએચ ૨૯૭૧ નંબરના બાઈકમાં રવાના થયા હતા.
તેમના બાઈકને હરીપરના પાટીયા પાસે જીજે-૧૦-ડબલ્યુ ૪૦૫૭ નંબરના રિક્ષા છકડાએ ટક્કર મારી દીધી હતી. આ છકડાના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જતા દિનેશભાઈ તથા પારસભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનોમાંથી પારસભાઈનંુ મૃત્યુ નિપજ્યું છે. ધીરેનભાઈ હરીભાઈ નંદાએ લાલપુર પોલીસ મથકમાં છકડા રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial