Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી પર્વ પર યોજાઈ ભવ્ય શોભાયાત્રા

વિવિધ સ્થળોએ મટકી ફોડ તથા વિવિધ સંસ્થાઓ-અગ્રણીઓ દ્વારા સ્વાગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર દ્વારા ૧૮ વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ૧૯મી શોભાયાત્રાનું મહંત શ્રીકૃષ્ણમણિજી મહારાજની પાવન નિશ્રામાં આયોજન થયું હતું. શોભાયાત્રા ખીજડા મંદિરથી આરંભ થઈ હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદીબજાર, ગણેશ ફળી, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડીગેઈટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ થઈ હવાઈ ચોકમાં સંપન્ન થઈ હતી. માર્ગમાં ઠેર-ઠેર સ્વાગત તથા મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતાં.

જામનગરમાં નિકળેલી ૧૯મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના પ્રારંભે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ .શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, રાધાકૃષ્ણ વાળા હરિ બાપુ, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના વિશેષ સંપર્ક સંયોજક ભરતભાઈ ડાંગરીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, ઉપાધ્યક્ષ હેમતસિંહ જાડેજા, મંત્રી રસિકભાઈ અમરેલીયા, હવાઈચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા, ડી.જી.પી. જમનભાઈ ભંડેરી, ભાણજીભાઈ પાંભર, વશરામભાઈ ચોવટિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાગવત કથાકાર પ્રહ્લાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન અર્ચન કરી બાલગોપાલને વિશિષ્ટ રથમાં વાજતે-ગાજતે બિરાજમાન કરી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ ના કોર સમિતિના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઈ પિઠીયા, કિશનભાઇ વસરા, હેમતસિંહ જાડેજા, મુકેશભાઈ પટેલ સહિતની ટીમના અથાગ પ્રયત્ન બાદ ૨૫થી વધુ ધાર્મિક ફ્લોટ્સ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં લોકોએ ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણ મયી બની શોભાયાત્રામાં જોડાયા હતા. આ વર્ષે ખાસ બજરંગ દળના ૩૫ જેટલા યુવાનોએ પરંપરા ગત વસ્ત્રો પરિધાન કરી ડમરુ અને બેન્ડ, ઝાંઝ, પખાલ સાથે ભારે જમાવટ કરી હતી.

ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા પછી હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રામાં સમેલિત ૨૫થી વધુ વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર જોવા મળ્યા હતા.

શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, આહીર સમાજ સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.

ધર્મ ધજા લહેરાવામાં આવી હતી અને હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ  કરવામાં આવ્યું હતું. ત્યાંથી અવેડિયા મામાના મંદિર નજીક આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા મટકીફોડ કરી ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ-સ્વાગત કરાયું હતું, ત્યાંથી સેન્ટ્રલ બેંક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં  સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી અને ડ્રાયફૂટવાળા દૂધનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં પણ વિરાટ બજરંગદળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યાંથી મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો, પછી ચાંદીબજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે શોભાયાત્રાનું સ્વાગત કરી મટકીફોડ કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચી જ્યાં પણ મટકી ફોડ કરાયું. જૂની દિપક ટોકીઝ પાસે સ્થાનિકો દ્વારા મટકી ફોડ કરાયું હતું. પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા અગ્રણી દેવેનભાઈ જોશી દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદ વિતરણ થયું હતું. બેડીગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે સ્વામિનારાયણ મંદિરના કોઠારી કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત મટકી ફોડ થયું હતું. ઇન્દ્રપ્રસ્થ પાસે મટકી ફોડવામાં આવી હતી બાદમાં પંચેશ્વર ટાવર પાસે જામનગર ભરવાડ સમાજના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવી હતી. ત્યારપછી કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ નરસિંહ મહેતાની પ્રતિમા પાસે શ્રી ખોડલધામ જામનગર જિલ્લા સમિતિ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આમ ૧૯ થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજાયા હતા.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ પર થી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થઈ. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh