Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના પીપરીયામાં શ્રમિકનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ

તેમના પત્નીએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ખંભાળિયાના પીપરીયા ગામની સીમમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિકને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામની સીમમાં દેવાણંદભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની કાનુભાઈ બાબુભાઈ ચંદ્રવંશી (ઉ.૩૭) નામના યુવાન ગુરૂવારે બપોરે ખેતરમાં કામ કરતા હતા.

આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેઓનંુ મૃત્યુ નિપજ્યાનું પત્ની સંગીતાબેન ચંદ્રવંશીએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh