Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં જલારામ જયંતી નિમિત્તે મસ્તાન ભોજન તથા પ્રસાદ રથનું પ્રસ્થાન

ભૂખે કો જો ભોજન, હો જાએંગે પ્રભુ પ્રસન્ન

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિનાં ઉપક્રમે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની રર૬મી જન્મ જયંતિ નિમિત્તે ગૌસેવા, પ્રસાદ રથનો આરંભ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન (માસ્તાન) તથા સમૂહ જ્ઞાતિ ભોજન સહિતનાં કાર્યક્રમ યોજાય હતાં.

જલારામ નગર, પ્રણામી સંપ્રદાય મેદાન, પ્રણામી સ્કૂલ મેદાન, નવાનગર બેંક સામે, જામનગરમાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનાં સમૂહ ભોજન (માસ્તાન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ જલારામ બાપાની આરતી અને પૂજન અર્ચન કરવામાં આવ્યા હતાં.અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તથા જલારામ જયંતિ મહોત્સવ સમિતિનાં સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, હસિત પોપટ, કૌશલ દત્તાણી, નિશીત રાયઠઠ્ઠા, નિલ મોદી, વ્યોમેશ લાલ, રાજદીપ મોદી, વિશાલ પોપટ, રાજુ કાનાબાર, ધૈર્ય મપારા, હિરેન રૃપારેલીયા, રવિ અઢિયા સહિતની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંકલન કરવામાં આવ્યું હતું. માસ્તાન ભોજન વડે બ્રહ્મભોજનની પરંપરા નિભાવાઈ હતી. આ સાથે જ પ્રસાદ રથ (હરતું ફરતું અન્નક્ષેત્ર)નું પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh