Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે સવારથી સાંજ સુધીમાં થઈ ગઈ ચોરીઃ
જામનગર તા. ૧૦: મેઘપરથી કાનાલુસ તરફ જવાના પી.એન. માર્ગ પર આવેલી એક શાળા નજીકની રેસીડેન્સીના એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા બંગાળી આસામીના રહેણાંકમાં શનિવારની સવારથી રાત્રિ સુધીમાં ચોરી થઈ છે. તે ઓરડામાંથી ૨ લાખ પ હજાર રોકડા ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામ નજીકથી કાનાલુસ તરફ જવાના પી.એન. માર્ગ પર સ્વામીનારાયણ કંપનીની રેસીડેન્સીમાં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેવા આવેલા મૂળ પશ્ચિમ બંગાળના ડમડમ રવિન્દ્રનગરના રહેવાસી ભોળાનાથ સુખમય ડે નામના પ્રૌઢ શનિવારે સવારથી પોતાનું રહેણાંક બંધ કરીને બહાર ગયા હતા.
શનિવારે સવારે આઠ વાગ્યાથી રાત્રિના સાડા આઠ વાગ્યા દરમિયાન તેમના બંધ રહેલા રૂમમાંથી ચોરી થઈ છે. કોઈ શખ્સ તે રૂમમાં બારી તથા બાથરૂમનો દરવાજો તોડી પ્રવેશી ગયા પછી ખાંખાખોળા કરીને ભોળાનાથના ઓરડામાં રાખવામાં આવેલી સ્ટીલની પેટી સુધી પહોંચી ગયો હતો.
તે પેટીમાં રાખવામાં આવેલી રૂ.૨ લાખ પ હજારની રોકડ આ તસ્કરને હાથ લાગી હતી. તે રકમ ઉઠાવી લેવાતા શનિવારે રાત્રે પરત આવેલા ભોળાનાથને તેની જાણ થઈ હતી. તેઓએ મોડીરાત્રે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.ટી. જયસ્વાલની સૂચનાથી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial