Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું: બફારો વધ્યોઃ
જામનગર તા. ૧૭: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮૭ ટકા રહ્યું હતું. જેના પગલે બપોરે બફારો અનુભવાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડિગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને આંશિક ઘટીને લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું. વાદળોના આંટાફેરા વચ્ચે ગઈકાલે બપોરે વરસાદી છાંટા પડ્યા હતાં.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિમીની રહેવા પામી હતી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા તેમજ પવનની ગતિમાં ઘટાડો થતા ગઈકાલે બપોરે પ્રજાજનોએ બફારાની અનુભૂતિ કરી હતી. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબઝેબ બની ગયા હતાં. રાહત મળે તે માટે જનતાએ પંખા તથા એસીનો સહારો લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial