Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ ચેકીંગ પછી અપાયું હતું પુરવણી બીલઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીને ત્યાં ચેકીંગ કરી રૂા.અડધા લાખ ઉપરાંતનું પુરવણી બીલ આપી વીજ કંપનીએ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીનો છૂટકારો થયો હતો. તેઓએ ભરપાઈ કરેલી પુરવણી બીલની રકમ પરત મેળવવા કરેલો દાવો રદ્દ થતા અપીલ કરી હતી. તે અપીલમાં અદાલતે ભરેલી રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના ખોડિયાર કોલોની પાસે નિલકમલ સોસાયટીમાં લાકડા કાપવાનું કામ કરતા કનુભાઈ રામશીભાઈ આહિર નામના આસામીને ત્યાં વર્ષ ૨૦૧૦માં વીજ કંપનીના અધિકારીઓએ ચકાસણી કરી વીજચોરીનો આક્ષેપ મૂકી રૂા.૫૪,૧૬૪નું બીલ આપ્યું હતું. તેમજ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. ફોજદારી ફરિયાદ ચાલી જતા કનુભાઈનો છૂટકારો થયો હતો. તે પછી કનુભાઈએ ભરપાઈ કરેલી પુરવણી બીલની રકમ પરત મેળવવા વીજ કંપની સામે દાવો નોંધાવ્યો હતો. તે દાવો રદ્દ થતાં જિલ્લા કોર્ટમાં અપીલ કરાઈ હતી. અદાલતે તે રકમ પરત આપવા વીજ કંપનીને આદેશ કર્યાે છે. અપીલમાં વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial