Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ધાર્મિક દબાણ હટાવાયા પછી
દ્વારકા તા. ૯: દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે દરિયા કિનારા વિસ્તારમાં ૧૮,ર૦૦ ચો.ફૂટ વિસ્તારમાં ફેલાયેલ ધાર્મિક દબાણને તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યું હતું. ભીમરાણા ગામે દરિયા કિનારે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળતા આશરે ર૦૦૦ ચોરસ ફૂટ જેટલી જમીન પણ ખુલ્લી કરાઈ છે. તંત્રની દબાણ હટાવ કામગીરીનો ઉદ્દેશ ગૌચરની જમીનો પર થયેલા દબાણોને મુક્ત કરાવવાનો છે. આ અગાઉ થોડા સમય પહેલા પણ દ્વારકા તાલુકાના બેટદ્વારકા, ઓખા સહિતના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial