Advertisement
Author: નોબત સમાચાર

એસ.ટી. જામનગર વિભાગમાં એપ્રેન્ટીસ ભરતીઃ તા. ૨૬-૯ સુધીમાં અરજીની તાકીદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ગુ.રા.મા.વા.વ્ય.નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસની મંજુરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ-જામનગર અને જામનગર / જામજોધપુર / ખંભાળીયા / દ્વારકા / ધ્રોલ ડેપોમાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અન્વયે ઓગષ્ટ-ઓક્ટોબર-૨૦૨૫ના ભરતીસત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઈલેકટ્રીશ્યન, વેલ્ડર, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક (ધો. ૧૦ પાસ) અને કોપા ટ્રેડ (ધો.૧૨ પાસ) હેઠળના આઈ.ટી.આઈ.પાસ ઉમેદવારોની તેમજ ટેક. વોકેશનલ ટ્રેડમાં (સીવીલ કન્ટ્રકશન, એકા.એન્ડ ઓડીટીંગ તથા પરચેઝ એન્ડ સ્ટોર્સના વિષયો સાથે) તેમજ એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાની હોય, ઉમેદવારોએ ટ્ઠૅિીહંૈીીજરૈૅૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી (આધાર કાર્ડ, ફરજીયાત વેરીફાઈડ કરવું, એસબીઆઈ બેંક એકાઉન્ટ ઉમેરવું, ૧૦૦% પ્રોફાઈલ પૂર્ણ કરવી) તેની પ્રિન્ટ/ હાર્ડ કોપી (મેળવી) શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (૧૦ પાસ/૧૨પાસ અને આઈટીઆઈ પાસ), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા. ૨૫-૯-૨૫ સુધીમાં આ માટે અરજી પત્રક મેળવી લેવા તથા ઉમેદવારોએ આ અરજીપત્રક તા. ૨૬-૯-૨૫ સુધીમાં તમામ 'અસ્સલ માર્કશીટ/પ્રમાણપત્રો' સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકોો સ્વીકારવામાં આવશે/જમા કરવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા વહીવટી શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગરમાં રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh