Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં તેજીલા વાયરાઓ સાથે નભમાં વાદળોના આંટાફેરાનો દોર ગઈકાલે પણ યથાવત્ રહ્યો છે. જેના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન ર૭.૪ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૮૭ ટકાએ સ્થિર રહ્યું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા લોકો બફરાથી અકળાયા હતાં. પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. તેજીલા વાયરાઓના કારણે સાંજે લોકોને બફારામાંથી રાહત મળી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial