Advertisement
Author: નોબત સમાચાર

મણિપુર હિંસાની ન્યાયિક તપાસ થશેઃ શાંતિ સમિતિની કરાશે રચનાઃ અમિત શાહ

પત્રકાર પરિષદમાં કેન્દ્રિય ગૃહમંત્રીએ કરી જાહેરાતઃ

ઈમ્ફાલ તા. ૧ઃ મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે અને શાંતિ સમિતિની પણ રચના કરાશે તેવી જાહેરાત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કરી છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, પરંતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અહીં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. અમે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. આ હિંસાની તપાસ માટે એક શાંતિ સમિતિની રચના કરવામાં આવી રહી છે.

અમિત શાહે ઈમ્ફાલમાં જણાવ્યું હતું કે, 'મણિપુરમાં ભાજપની સરકાર સત્તામાં આવી ત્યારે છેલ્લા છ વર્ષથી મણિપુર કર્ફયુ અને હિંસાથી મુક્ત થયું છે. મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. હિંસક ઘટનાઓ સામે આવી છે.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મેં ૧૧ અલગ અલગ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. દરેક ક્ષેત્રના લોકો સાથે વાત કરી. મહિલાઓ સાથે પણ વાત કરી. ર૯ એપ્રિલના મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે અહીં બે જુથો વચ્ચે જાતિય હિંસા શરૃ થઈ ગઈ હતી. બન્ને પક્ષોએ શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે કામ કરવું જોઈએ. આ મામલે સરકાર દ્વારા રાહત પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. હિંસામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા પ લાખ રૃપિયા અને મણિપુર સરકાર દ્વારા પ લાખ રૃપિયા આપવામાં આવશે. આ રકમ ડીબીટી દ્વારા સીધા પીડિતોને ટ્રાન્સફર કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh