Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકના ૬ ધાબા તથા રેસ્ટોરન્ટ ફાયર એનઓસી-બીયુના અભાવે સીલ કરાયા

તાજેતરમાં એક રિપોર્ટમાં આગના બનાવ પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર નજીકના એક રિસોર્ટમાં તાજેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ પછી સતર્ક બનેલી ફાયર શાખાએ જાનગરના ધોરીમાર્ગ પરના હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ વગેરેમાં ફાયર એનઓસી અંગે ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં ગઈકાલે છ એકમો સીલ કરવામાં આવ્યા હતાં.

જામનગર નજીકના ધોરીમાર્ગ ઉપરના ખાણી-પીણી-ધંધાર્થીઓને ત્યાં ગઈકાલે ફાયર-એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું, અને લાલપુર બાયપાસ માર્ગે આવેલા ધાબાએ જામનગરી, શિવ રેસ્ટોરન્ટ, પટેલ આમલેટ અને ચાચા-ભતીજા (સમર્પણ ચોકડી) માં ફાયર એનઓસી અને બીયુ પરમીશન નહીં હોવાથી તેને સીલ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત તાજેતરમાં જ્યાં આગનો બનાવ બન્યો હતો તે ફોરેસ્ટ રિસોર્ટમાં પણ બીયુ પરમીશન નહીં હોવાથી તેને સીલ કરી દેવાયું હતું. જ્યારે એરપોર્ટ માર્ગ પરના ટી-પોસ્ટમાં પણ ફાયર એનઓસી/બીયુ પરમીશન નહીં હોવાથી તેને સીલ લગાવી દેવાયું હતું.

આ કામગીરી ફાયર અને એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજ્જણ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh