Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગેરમાર્ગે દોરતા અનધિકૃત ઈસમો માટે સરકારી કચેરીઓમાં પ્રવેશબંધી ફરમાવાઈ

સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.તેમજ આ કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના વિવિધ કામ માટે આવે છે. કેટલાક બનાવો ઉપરથી સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઈસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપિંડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે.

આથી, જામનગર કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી.હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-૨, જિલ્લા સેવા સદન-૩, જિલ્લા સેવા સદન-૪, મહેસુલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી તથા તે કચેરી હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને આર.ટી.ઓ. ચેકપોષ્ટ તથા જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમા જયાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી જિલ્લાની સરકારી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય, કામ કરતા હોય તેવા કે વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઇસમોની ટોળીને ઉપરોક્ત કચેરીઓમા આવતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઈસમોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ભાવેશ એન.ખેર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામુ તા.૨૩-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ ની પેટા કલમ-(૧) મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial