Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં ખોજા જ્ઞાતિ દ્વારા સળગતા અંગારા પર ચાલીને મોહર્રમના પર્વની થઈ ઉજવણી

છેલ્લા પ૦ વર્ષથી જળવાતી પરંપરાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં ખોજા ધર્મશાળા વિસ્તારના ખોજા જ્ઞાતિ દ્વારા સળગતા અંગારા પર ચાલીને મહોર્રમની ઉજવણી કરાઈ હતી.

જામનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે આઠમી રાત્રે ખોજા નાકા પાસે આવેલી ખોજા ધર્મશાળામાં ખોજા જ્ઞાતિ દ્વારા 'હુસૈન'ના નારા સાથે ખંદક એટલે કે સળગતા અંગારા પર ચાલીને મહોર્રમનો પર્વ મનાવવામાં આવ્યો હતો.

જામનગરમાં ખોજા જ્ઞાતિ દ્વારા છેલ્લા પ૦ વર્ષથી આ રીતે મોહર્રમના પર્વની ઉજવણી કરાય છે અને આ વખતે ખોજા જ્ઞાતિના મુસ્લિમ યુવાનોએ અંગાર પર ચાલીને મોહર્રમનો તહેવાર મનાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial