Sensex

વિગતવાર સમાચાર

પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રીય કાર્બન બને છે ટકાઉ ખેતીનો આધારઃ કાર્બનચક્ર એટલે શું?

જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. ત્યારે

                                                                                                                                                                                                      

આપણે વારંવાર એક વાક્ય જરૂર સાંભળીએ છીએ કે, જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્ત્વ છે? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનના સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે. અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ સામે લડવા માટેનું એક નવું શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે. 

સેન્દ્રીય કાર્બન એ કાર્બન છે જે સજીવો દ્વારા ઉત્પાદિત કોઈપણ સામગ્રીના આંશિક વિઘટન પછી જમીનમાં રહે છે. તે જમીનના કાર્બનિક પદાર્થોનો મુખ્ય ઘટક છે. એવી ધારણા છે કે, તે જમીનના ઘણાં કાર્યો અને અતાર્કિક ગુણધર્મો માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ, સ્થાનિક ઇકોલોજી, આબોહવાની સ્થિતિ, જમીનનો ઉપયોગ અને વ્યવસ્થાપન પર આધાર રાખે છે. ઓર્ગેનિક કાર્બન મુખ્યત્વે ટોચની જમીનમાં વધારે હોય છે. જમીનમાં રહેલા કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં રહેલા કાર્બનની માત્રા કરતા બમણું હોય છે.

તમામ છોડ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને વૃદ્ધિ પામવા માટે તેમના પર્ણ મારફત સુર્યપ્રકાશ અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને પોતાના માટે ખોરાક (સ્ટાર્ચ) ઉત્પન્ન કરે છે. જમીનમાં રહેલ સેન્દ્રીય કાર્બન ટકાઉ ખેતીનો આધાર છે. જમીનમાં ફળદ્રુપતા જાળવવામાં સેન્દ્રીય કાર્બનની મુખ્ય ભૂમિકા છે. સેન્દ્રીય કાર્બન જમીનમાં વાયુ, પાણીની જાળવણીની ક્ષમતા, ડ્રેનેજ અને સુક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિમાં સુધારો કરે છે. જેમ જેમ જમીનમાં સંગ્રહિત કાર્બન વધે છે તેમ તેમ લીચિંગ અને ધોવાણ દ્વારા પોષક તત્વોના નુકસાનનું જોખમ ઘટે છે. જ્યારે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે ત્યારે તે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. જે છોડના વિકાસ માટે વધુ સારી આબોહવાની સ્થિતિ પૂરી પાડે છે. જમીનમાં સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાથી વધુ સ્થિર કાર્બન ચક્રનું નિર્માણ થાય છે અને એકંદરે કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય છે.

પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બન વધારવાના ઉપાયોમાં જીવામૃત અને ઘન જીવામૃતનું યોગ્ય પ્રમાણમાં અને સમયસર ઉપયોગ કરવાથી સોઇલ સેન્દ્રીય કાર્બનમાં વધારો થાય છે, વધુ બાયોમાસ ધરાવતા પાકો ઉગાડવાથી પણ કાર્બનનો સંગ્રહ વધારવામાં મદદ મળે છે, જમીનમાં આચ્છાદનનો વધારે ઉપયોગ કરવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનમાં વધારો કરી શકાય છે. પાકની ફેરબદલી,  સંકલિત ખેતી પદ્ધતિ, કૃષિ વનીકરણની પદ્ધતિઓ પણ સેન્દ્રીય કાર્બન વધારવામાં મદદરૂપ નિવડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial