Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ખાનગી બેંકની હરાજીમાં અમદાવાદના વેપારીને પધરાવાયું અઢી લાખનું નકલી સોનુ

મેનેજર સહિત ચાર સામે ફોજદારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં શાખા ધરાવતી ડીસીબી બેંકની શાખા દ્વારા યોજવામાં આવેલી જાહેર હરાજીમાં અમદાવાદની એક પાર્ટીએ ભાગ લઈ સોનાનું પેકેટ ખરીદ્યું હતું તેનું પેમેન્ટ કર્યા પછી પેકેટમાંથી નકલી સોનુ નીકળી પડતા અમદાવાદની પાર્ટીએ જામનગર બેંકના મેનેજર, ડે. મેનેજર સહિત ચાર સામે ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે.

અમદાવાદના મણીનગર વિસ્તારમાં વસવાટ કરતા પંકજભાઈ કાંતિલાલ જૈન નામના આસામી કાલુપુરમાં આર્ટ ઈન કોર્પોરેટ નામની પેઢી ચલાવે છે. તેઓની પેઢીમાંથી સુમિત દીપકભાઈ રાણા નામનો કર્મચારી ગયા સપ્તાહે યોજાયેલી ડીસીબી બેંકની હરાજીમાં ગયો હતો.

આ બેંક દ્વારા યોજવામાં આવેલી હરાજીમાં તેઓને સોનાનું એક પેકેટ ખરીદવામાં રસ પડતા પંકજભાઈની સૂચનાથી તે પેકેટ રૂ. ૨,૫૨,૨૪૭માં હરાજીમાં બોલી લગાવી ખરીદવામાં આવ્યું હતું. તે પેકેટમાં રહેલા સોના અંગે જે તે વખતે ચકાસણી કરાવવામાં આવી હતી. તે સોનાનું મૂલ્યમાં આંકન કરી આપનાર વેલ્યુઅર તથા સોનાની ચકાસણી કરવામાં આવી છે તેવી નોંધને પ્રમાણિત કરનાર ઓડીટર અને એસએએમઆઈએલ કંપની પર ભરોસો રાખી પંકજભાઈની પેઢી દ્વારા ઉપરોક્ત રકમ ચૂકવી તે પેકેટ મેળવવામાં આવ્યું હતું.

ત્યારપછી પેકેટનો કબજો મળતા તેને ખોલાવી ચકાસવામાં આવતા તેમાંથી નકલી સોનુ નીકળી પડ્યું હતું. આ બાબતે ડીસીબી બેંકના ડે. મેનેજર સંજય ત્રિવેદી અને મેનેજર આકાશ પાઠકને તેની વિગતો આપવામાં આવી હતી પરંતુ આ અધીકારીઓએ જવાબ આપ્યો ન હતો. તેથી એસએએમઆઈએલ કંપનીને પણ તેની જાણ કરાતા પગલાં ભરવામાં આવ્યા ન હતા.

આવી જાણ કરવાની જાણે કે સજા કરવામાં આવી હોય તે રીતે પંકજભાઈની પેઢીને તમામ બેંકની હરાજીમાંથી પ્રતિબંધિત કરી નાખવામાં આવ્યા હતા! તેથી છેતરાઈ ગયેલા પંકજભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીસીબી જામનગર વતી મેનેજર આકાશ પાઠક, ડે. મેનેજર સંજય ત્રિવેદી, સોનાનંુ મૂલ્યાંકન કરનાર વેલ્યુઅર તથા ચકાસણી પ્રમાણિત કરનાર ઓડીટર વગેરે સામે છેતરપિંડી કરવા અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial