દસ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ
જામનગર તા. ૯ઃ જામનગરના રણજીતસાગર રોડ પર સ્થિત જોશી ક્લાસીસ એ ધોરણ ૧૨ પછી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં પણ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે જોશી ક્લાસીસના સંચાલક દિનેશભાઈ જોશીએ 'નોબત'ના પત્રકાર દિપકભાઈ લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું ક્લાસીસ છેલ્લા ૨૮ વર્ષથી જામનગરના શૈક્ષણિક જગતમાં કાર્યરત છે. ધોરણ ૧૦ માં અમારા ક્લાસીસે જળહળતું ૯૮ ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ધોરણ ૧૦ માં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ફુલ ૧૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત મહેનતના પરિણામે જોષી ક્લાસીસ દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે. ક્લાસીસમાં સ્માર્ટ ક્લાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો પર વધુ ભાર મૂકવામાં આવે છે.
તાળા પુષ્ટિનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
પુષ્ટિ એ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૫.૧૪% સાથે ૯૯.૩૫ પીઆર મેળવી ને ક્લાસીસ નું ગૌરવ વધાર્યું છે. પુષ્ટિના પિતા દિલજીતભાઈ બ્રાસપાર્ટમાં કામ કરે છે તથા માતા જીજ્ઞાબેન ગૃહિણી છે અભ્યાસ સિવાય સ્પોર્ટ્સમાં રુચિ ધરાવનાર પુષ્ટિ આગળ અભ્યાસ કરીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
ધ્રુવીની એન્જિનિયર બનવાની અભિલાષા
ભીમાણી ધ્રુવીએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ૯૫% અને ૯૯.૨૮ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને ભીમાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયામાં રુચિ ધરાવનાર ધ્રુવી એન્જિનિયર બનવા માંગે છે.
અંજલીનું આઇપીએસ ઓફિસર બનવાનું સ્વપ્ન
ચૌહાણ અંજલીએ ધોરણ ૧૦ માં ૯૪.૩૩% અને ૯૮.૯૮ પીઆર સાથે એવન ગ્રેટ પ્રાપ્ત કરીને ક્લાસીસ તથા ચૌહાણ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પિતા અશોકભાઈ કોન્ટ્રાક્ટર અને માતા નયનાબેન ગૃહિણી છે. અભ્યાસ ઉપરાંત રમતગમત અને કુકિંગમાં રુચિ ધરાવનાર અંજલી આગળ અભ્યાસ કરીને આઈપીએસ ઓફિસર બનવા માંગે છે.
યામીનીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની મહેચ્છા
કોઠડીયા યામીએ ધોરણ ૧૦ માં ૯૪% અને ૯૮.૯૮ પીઆર મેળવ્યા છે. અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયામાં રુચિ ધરાવનાર યામી આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
વિશ્વાની એન્જિનિયર બનવાની અભિલાષા
ખાખરીયા વિશ્વાએ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૩% અને ૯૮.૨૦ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ખાખરીયા પરિવાર તથા જોષી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. પિતા ચંદ્રકાંતભાઈ ખાખરીયા આચાર્ય છે તથા માતા ભારતીબેન શિક્ષિકા છે.પરીક્ષામાં સફળતા મળે તે માટે વિશ્વા દરરોજ નિયમિત રીતે ત્રણ કલાક વાચન કરતી હતી. વિશ્વા આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માંગે છે.
યશ્વીનું ચિત્રકાર બનવાનું સ્વપ્ન
ધોરણ ૧૦ની પરીક્ષામાં ચાંદ્રા યશ્વીએ ૯૨.૬૬ ટકા અને ૯૭.૯૯ પીઆર પ્રાપ્ત કર્યા છે બોર્ડની પરીક્ષામાં સફળતા મળે તે માટે યશ્વી દરરોજ પાંચ કલાક વાચન કરતી હતી યશ્વી ચિત્રકાર બનવા માંગે છે.
મારે વકીલ બનવું છેઃ બારૈયા સૃષ્ટિ
બારૈયા સૃષ્ટિએ ધોરણ ૧૦ માં ૯૧% અને ૯૭.૫૯ પી.આર મેળવ્યા છે. અભ્યાસ ઉપરાંત ડાન્સમાં રુચિ ધરાવનાર બારૈયા સૃષ્ટિ આગળ અભ્યાસ કરીને વકીલ બનવા માંગે છે.
મારે એન્જિનિયર બનવું છેઃ ભાલારા શ્રી
ભાલારા શ્રી એ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૭.૪૦ પીઆર પ્રાપ્ત કર્યા છે. પિતા શૈલેષભાઈ બિઝનેસમેન છે અને માતા અંજનાબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત ભાલારાશ્રી ને સોશિયલ મીડિયામાં રુચિ છે અને તેણી એન્જિનિયર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial