ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯પ.૧૮ પી.આર. મેળવનાર
જામનગરની શ્રીમતી જે.કે. ઝાલા માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થિની દેવાંશી હેમેન્દ્રકુમાર ચૌહાણએ ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮પ.પ૭ ટકા ગુણ સાથે ૯પ.૧૮ પી.આર. મેળવી ઉજ્જળ ભવિષ્ય તરફ મક્કમ આગેકૂચ કરી છે. દેવાંશીના પિતા હેમેન્દ્રકુમાર શ્રમિક છે, જ્યારે માતા જયશ્રીબેન ગૃહિણી છે. વાચન-સંગીત અને કૂકીંગનો શોખ ધરાવતી દેવાંશીએ સ્કૂલ તથા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ ઉપરાંત પ કલાક ઘરે અભ્યાસથી ધાર્યું પરિણામ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. દેવાંશી હાઈસ્કૂલના આચાર્ય નિલમબા કે. ઝાલા, માર્ગદર્શકો ઈલાબેન, દિપકસર તથા સંચાલક દિવ્યરાજસિંહ ઝાલાનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં ન્યાયધીશ બનવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial