Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સંબંધો કેળવવામાં આખી જિંદગી વીતી જાય છે, પરંતુ ખતમ થવામાં તો માત્ર બે ક્ષણ જ લાગે હો!!

ગેરસમજ, પૂર્વગ્રહો, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટથી બચવું

હિન્દી ફિલ્મ સોદાગરનું પ્રચલિત અને કર્ણપ્રિય ગીત ઘણાં લોકોએ સાંભળ્યું હશે. અ ફિલ્મ પણ ઘણાં લોકોએ જોઈ હશે. આ ગીત અન્ય ખ્યાતનામ ગાયકોએ તો ગાયું જ હશે, પરંતુ ઘણાં લોકોએ ગણગણ્યું પણ હશે...

હે રાજુ... ચલ બીરૂ...

તિનક તિનક તિન તારા...

ઈમલી કા બૂટા, બેરી કા પેડ,

ઈમલી ખટ્ટી, મીઠે બોર,

ઈસ જંગલ મેં હમ દો શેર,

ચલ ઘર, જલદી, હો ગઈ દેર...

જિસ દિન સે તુ રૂઠ ગયા,

તેરી કસમ દિલ તૂટ ગયા,

ના જાને કબ રાત હૂઈ,

ના જાને કબ હૂઈ સવેર,

ઈમલી કા બૂટા, બેરી કા પેર,

ઈમલી ખટ્ટી, મીઠે બોર...

રૌનક પ્યાર કે નામ કી હૈ,

યે દૌલત કિસ કામ કી હૈ,

તેરે બિન હીરે મોતી,

લગતે હૈ મિટ્ટી કે ઢેર,

ઈમલી કા બૂટા, બેરી કે પેડ

ઈમલી ખટ્ટી, મીઠે બેર...

મૈં કુછ ભી કર જાઉંગા

તેરે લિયે મર જાઉંગા,

મેરે લિયે તુ ઈતના કર,

ગીત વહી બચપન કા છેડ,

તિનક તિનક તિન તારા...

આ ફિલ્મી ગીતમાં બાળપણના બે દોસ્તોનો પ્રેમ ઝલકે છે, જેની વચ્ચે સંજોગોના કારણે તથા દુનિયાના કાવાદાવા કરનારા શકુનીઓની ચાલબાજીના કારણે દુશ્મનાવટ સર્જાય છે, જેને તે બન્નેના પરસ્પર પસંદ કરતા સંતાનો ફરીથી દોસ્તીમાં બદલે છે.

આજથી લગભગ અઢી દાયકા પહેલા રિલિઝ થયેલી ફિલ્મ 'સોદાગર'માં એક અમીર અને બીજા ગરીબ યુવાન વચ્ચે દોસ્તીની કથા છે. રાજુ અને વીરૂની આ સ્ટોરી આજે પણ ઘણી જ લોકપ્રિય છે. સુભાષ ધાઈ નિર્દેશિક આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિલીપકુમાર અને રાજકુમારની છે, જેમાં અમરીશ પૂરી વગેરે કલાકારો વિલનની ભૂમિકામાં હોય છે. અનુપમ ખેર, જેકી શ્રૌફ, વિવેક મુશરન અને મનિષા કોઈરાલાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા આ ફિલ્મમાં હોય છે.

તે પહેલા વર્ષ ૧૯૭૩ માં હિન્દી ફિલ્મ 'સૌદાગર' પણ લોકપ્રિય બની હતી. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નુતન મુખ્ય ભૂમિકામાં હોય છે. સુધેન્દ્ર રોય નિર્મિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહું સફળતા મેળવી શકી નહોતી, પરંતુ તે પછીના દાયકાઓ દરમિયાન તેની ચર્ચા થતી રહી હતી.

આ પ્રકારની જુની હિન્દી ફિલ્મોમાં કોઈને કોઈ સામાજિક સંદેશ રહેતો હતો અને રાજકારણ, અર્થકારણ, ઈતિહાસ, પ્રાચીનકાળ કે સાંપ્રત પ્રવાહોનું અદ્ભુત મિશ્રણ પણ થતું હતું. આ કારણે ઘણી ફિલ્મો અનેક સપ્તાહો કે મહિનાઓ સુધી થિયેટરોમાં હાઉસફૂલ રહેતી હતી.

આજે જમાનો બદલાયો છે, ફિલ્મો હવે પ્રવાસ કરતા કરતા, ઓફિસોમાં ફુરસદના સમયે કે દુકાનોમાં ઘરાકી ન હોય ત્યારે પણ મોબાઈલ સેલફોનમાં નિહાળી શકાય છે. ઘરમાં હોમથિયેટર કે મોટા ટી.વી. સ્ક્રીન પર માણી શકાય છે અને ખેતર-વાડીઓમાં ખેતીકામ કરતા શ્રમિકોનું મોનીટરીંગ કરતા કરતા, નિર્ધારિત કલાકોની મજૂરી કરી લીધા પછી વિશ્રામના સમયે કે ટ્રાફિક નિયંત્રણ કે પેટ્રોલીંગની સળંગ ચાલતી ફરજોમાંથી થોડો ટાઈમ કાઢીને પણ નિહાળી શકાય છે.

આવી એક બીજી હિન્દી ફિલ્મ 'શોલે'ના ઘણાં ડાયલોગ્ઝ અને ગીતો આજે પણ લોકપ્રિય છે. રાહુલદેવ બર્મન નિર્દેશિત આ ફિલ્મ માટે આનંદબક્ષી રચિત ગીતો કિશોરકુમાર અને મન્ના ડે એ ગાયા હતાં. દોસ્તીની ભાવનાઓને પ્રદર્શિત કરતું આ ગીત આજે પણ ઘણું જ પ્રચલિત છે.

યે...દોસ્તી... હમ નહીં તોડેંગે,

તોડેંગે દમ મગ, તેરા સાથ ના છોડેંગે.

એ... મેરી જીત તેરી જીત મેરી હાર તેરી હાર,

સુન...એ... મેરે યાર...

તેરા ગમ મેરા ગમ, તેરી જાન મેરી જાન,

ઐસા અપના પ્યાર.

ખાના-પીના સાથ હૈ, મરના-જીના સાથ હૈં,

સારી જિંદગી...

યે દોસ્તી, હંમ નહીં તોડેંગે,

તોડેંગે દમ મગર, તેરા સાથ ના છોડેંગે...

લોગો કો આતે હૈ દો નજર હમ મગર,

ઐસા...તો... નહીં,

હો જુદા યા ખફા, ઐ ખુદા દે દુઆ,

ઐસા...તો...નહીં,

જાન પર ભી ખેલેંગે, તેરે લીયે લે લેંગે

સબસે... દુશ્મની...

યે દોસ્તી, હમ નહીં તોડેંગે,

તોડેંગે દમ મગર, તેરા સાથ ના છોડેંગે

આ ફિલ્મની સ્ટોરી પણ ઘણી જ રોચક અને મનોરંજક છે. એટલું જ નહીં, તેમાંથી પણ એક પ્રકારનો સામાજિક અને પારિવારિક મેસેજ નીકળે છે. સામાજિક તથા પારિવારિક સંબંધોમાં દોસ્તીનો સંબંધ નિરાળો હોય છે. એવું કહેવાય છે કે, દોસ્તીના સંબંધમાં બીજા બધા સંબંધો સમાય જાય છે, અથવા દોસ્તી તમામ પ્રકારના સામાજિક અને પારિવારિક સંબંધોની પૂરક હોય છે.

આ પ્રકારની બધી ફિલ્મોની કથાવસ્તુમાં પ્રેમ, રોમાન્સ, ખટરાગ, ખટપટ અને સંયોગ-વિયોગનું મિશ્રણ હોય છે, અને જે-તે સમયના સમાજનું પ્રતિબિંબ પણ તેમાં પડતું હોય છે. પ્રકારની ફિલ્મોમાંથી એવો સંદેશ નીકળતો હોય છે કે કોઈપણ પ્રકારના સંબંધો ઘણાં મૂલ્યવાન હોય છે, કારણ કે ગાઢ સંબંધો કેળવવામાં ઘણી વખત આખી જિંદગી નીકળી જતી હોય છે, પરંતુ ગેરસમજ, પૂર્વગ્રહો, ઈર્ષ્યા, ્ક્રોધ કે ખટપટના કારણે જીવનભર કેળવેલા આ ગાઢ સંબંધોનો તૂટવામાં (કે તોડી નાંખવામં) માત્ર બે ક્ષણ જ લાગે છે. આ રીતે તૂટેલા સંબંધો ફરીથી પૂર્વવત થતા વાર લાગે છે અને પ્રશ્ચાતાપ કર્યા પછી પણ સંબંધોમાં પહેલા જેવી ૧૦૦ ટકા મીઠાશ કદાચ કેળવાતી નથી.

આ ફિલ્મો તો દૃષ્ટાંતો જ છે. રંગભૂમિ પર ભજવાતા નાટકો, ફિલ્મો, નવલકથાઓ, નવલિકાઓ, લેખો, કાવ્યો અને ગદ્ય-પદ્ય સાહિત્યમાં એ પ્રકારની ઘણી કહાનીઓ ભરેલી પડેલી છે, જેમાં સુવર્ણમય અમૂલ્ય સંબંધોનો પળવારમાં કેવી રીતે ખાત્મો બોલી જતો હોય છે, અને કેવી રીતે દોસ્તી જ્યારે દુશ્મનીમાં બદલી જાય, ત્યારે કેટલી ખતરનાક બની જતી હોય છે. કેટલીક ફિલ્મોમાં ગાઢ દોસ્તી કેવી રીતે દુશ્મનીમાં બદલી જાય છે, અને તેમાં કેવા કેવા પરિબળો ભૂમિકા ભજવતા હોય છે, તે સમજવા જેવું હોય છે. આ પ્રકારની ફિલ્મો સમાજને એ ખટપટિયા પરિબળોથી સાવધ રહેવાનો સંદેશ પણ આપે છે, અને નાટકિય દોસ્તીની આડમાં ગેરમાર્ગે દોરી જતા પરિબળો પ્રત્યે પણ સાવધ કરે છે.

હમણાંથી રાજકીય દોસ્તી-દુશ્મનીની ચર્ચાઓ વધુ થઈ રહી છે, અને હજી એક વર્ષ પહેલા એકજુથ થયેલા વિપક્ષોમાં તીરાડ પડી અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ મંડાયો તેને ટાંકીને એક વખત ફરીથી એ જાણીતું સૂત્ર ગુંજવા લાગ્યું છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત હોતું નથી. જ્યારથી ભારતીય ચૂંટણી પંચે દિલ્હીની ચૂંટણીની તારીખો જાહેર કરી છે, ત્યારથી આ પ્રકારની ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી છે!

જો કે ગ્રામ્ય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ થતી ચૂંટણીઓ પછી ફેલાતું વૈમનસ્ય ઘણી વખત ખતરનાક દુશ્મનીમાં પરિવર્તિત થઈને હિંસક બની જતું હોય છે, જે મારપીટથી લઈને ખુનામરકી સુધી પહોંચી જતું હોય છે, જે તદ્ન નિંદનિય છે.

હકીકતે તો રાજકારણમાં ક્રિકેટ, કબડ્ડી કે અન્ય રમતોની જેમ ખેલદિલી હોવી જોઈએ, અને કેટલાક દેશોમાં ફૂટબોલની મેચોમાં હાર-જીત થયા પછી જે હિંસા ફેલાય છે, તેવી માનસિક્તા ન હોવી જોઈએ. આ પ્રકારના ચૂંટણી અને રાજકારણમાંથી ઊભા થતા ખટરાગો અને વૈમનસ્યો વર્ષો સુધી ચાલતા રહે અને પારિવારિક અને વ્યક્તિગત દુશ્મનાવટ ચાલતી જ રહે, તેવી ઘણી જગ્યાએ જોવા મળતી સ્થિતિ સામે અત્યંત સાવધ રહેવા જેવું છે, અને એ માટે એક અલાયદુ જનજાગૃતિ આંદોલન આદરવું જોઈએ તેમ નાથી લાગતું?

મહાભારત સર્જાવા પાછળ એવું કહેવાય છે કે, દુર્યોધનને ઉદ્દેશીને દ્રૌપદીએ કરેલો કટાક્ષ જવાબદાર હતો. રામાયણમાં મંથરાપ્રેરિત કૈંકેયીનો પુત્રપ્રેમ અને લાલચ જવાબદાર હોવાની માન્યતા પણ પ્રચલિત છે, જો કે ઊંડા ઉતરીએ તો આ તમામ કથાઓનો મર્મ કાંઈક અલગ જ નીકળી શકે, પરંતુ એવું કહી શકાય કે મહાભારત-રામાયણ કાળથી લઈને આજ સુધીના યુદ્ધોમાં મહત્તમ ભૂમિકા શબ્દયુદ્ધો, શક્તિ પ્રદર્શન તથા પુત્ર-પરિવારવાદ અને સત્તા-લોલુપતા-સામ્રાજ્યવાદની જ રહી છે. તીર અને શબ્દો એક વખત છૂટી જાય, તે પછી પાછા વાળી શકાતા નથી, તેથી કાંઈપણ બોલવું, તે સમજી-વિચારીને બોલવું જોઈએ, ખરૃં ને?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial