Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કુબેરવિસોત્રી પાસે બે બાઈક વચ્ચે ટક્કરઃ બાઈકચાલકને ઈજા

બેફિકરાઈથી વાહન ચલાવનાર સામે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: ખંભાળિયા તાલુકાના કુબેરવિસોત્રી વાડી વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાઈકના ચાલકને ઈજા પહોંચી હતી. જે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ખંભાળિયામાં કુબેરવિસોત્રી વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રહલાદસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.૩૮) ગત તા.૧૪ના સવારે નવેક વાગ્યે ખંભાળિયા-સલાયા માર્ગે કુબેરવિસોત્રી વાડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે જીજે-૩૭-ઈ ૮૪૧૯ નંબરના બાઈકચાલકે પોતાનું વાહન પુરઝડપે-બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવીને પ્રહલાદસિંહના બાઈકને ઠોકર મારી હતી. આ બનાવમાં પ્રહલાદસિંહ જાડેજા બાઈકમાંથી ફંગોળાઈ જતાં માથામાં અને શરીરના અન્ય ભાગમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવ અંગે પ્રહલાદસિંહ જાડેજાએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા હે.કો. બી.આર. જાડેજાએ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh