Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડ સસોઈના કાંઠે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરની શિવલીંગ ઉત્તરપ્રદેશ કાશીથી લઈ આવેલ છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બેડના રહેવાસી લોહાણા માવજી દેવજી, વેલજી દેવજી દ્વારા વિક્રમ સંવત ૧૯૬૩માં કરવામાં આવી હતી. આ મંદિર આશરે ૧૦૦ વર્ષ જુનું છે. આ મંદિરમાં આગળના જમાનામાં વટેમાર્ગુઓ રાતવાસો કરતા હતા. આ મંદિરમાં રૂમો પણ બનાવેલ છે. આ મંદિર પરિસરમાં બાગબગીચા, વૃક્ષો, બિલીપત્ર, વાવ કૂવો તથા પાણીનો બોર આવેલ છે. દર સોમવારે ચાંદીના મોરાના દર્શન થાય છે. આ મંદિર બનાવનાર પરિવાર સાંગલીમાં વસવાટ કરે છે. આ મંદિરના પૂજારી નવરંગપુરી પરસોતમપુરી વૈકુંઠી પૂજા કરે છે. આ મંદિરના ટ્રસ્ટી શેઠ છોટાલાલા લઘાભાઈ રાયઠઠ્ઠા વર્ષોથી સેવા આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial