Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૩.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી.

જામનગરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાદળોની આવન-જાવન પણ ઘણી જ ઘટી જવા પામી છે. દિવસમાં મોતાભાગે સૂર્યપ્રકાશ રહેતા તાપમાનમાં પણ ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૩.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, તેમજ આંશિક વધીને લઘુતમ તાપમાન રપ.ર ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે પણ ખાસ કરીને બપોરે પ્રજાજનોએ ગરમીની અનુભૂતિ કરી હતી.

જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh