Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટ્રાન્સપોર્ટરને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદઃ રોકડનો દંડ કરાયો

ઈધણની રકમ ચૂકવવા આપ્યો હતો ચેકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક પેટ્રોલપંપ પરથી ટ્રાન્સપોર્ટરે પોતાના વાહનમાં ઉધારમાં ઈંધણ ભરાવ્યા પછી તેની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ટ્રાન્સપોર્ટરને એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યાે છે.

જામનગરના હાપામાં આવેલા પ્રિયા પેટ્રોલિયમ માંથી સબરજીતસિંઘ બલજીંદરસિંઘ ગુગનાનીએ પોતાના વાહનમાં ઉધાર ડીઝલ ભરાવ્યું હતું તે રકમની ચૂકવણી માટે સબરજીતસિંઘ દ્વારા રૂ.૫૩,૮૯૪નો ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.

આ બાબતે સબરજીતસિંઘને નોટીસ મોકલવામાં આવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ નહીં આપતા પેટ્રોલપંપના ભાગીદાર સંદીપ ધીરજલાલ શાહ દ્વારા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સબરજીતસિંઘને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની સજાનો આદેશ થયો છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh