Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાનું પ્રકરણ હાઈકોર્ટમાં પહોંચ્યું
જામનગર તા. ૧૩: જામનગરમાં શ્રાવણી મેળો યોજવા મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે, પરંતુ તેની સામે કોર્ટમાં અરજી થવા પામી હતી, જેમાં અનેક ઉતાર-ચઢાવ પછી ગઈકાલે હાઈકોર્ટના ચૂકાદાથી મેળાનો માર્ગ મોકળો થયો છે.
જામનગરમાં પ્રતિવર્ષની જેમ જામનગર મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ હાલ ત્યાં હંગામી બસ ડેપો કાર્યરત હોવાથી મુશ્કેલી પડે તેવો પ્રશ્ન ઊઠાવ્યો હતો અને એક આસામીએ કોર્ટમાં મેળા સામે મનાઈ હુકમના દાવાની માગણી કરી હતી. જેની સુનવણી થતા અદાલતે અરજદારની અરજી નામંજુર કરી તેને રૂ. ૧૦ હજારનો દંડ કર્યો હતો.
આ હુકમ સામે અરજદારે સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં કોર્ટ મિત્રો એવા નામાંકિત એડવોકેટ્સના મંતવ્યો જાણવામાં આવ્યા હતાં. આખરે અરજદારને કરાયેલ દંડ અને તેનો દાવો રદ્ કરવાનો હુકમ રદ્ કરાયો હતો, અને વધુ દલીલો નિચલી કોર્ટે શુક્રવારે રાખવામાં આવી હતી જ્યાં ચૂકાદો સોમવારે સંભળાવાશે તેવો નિર્ણય લેવાયો હતો.
આ પછી સોમવારે જામનગર પાલિકાની તરફેણમાં ચૂકાદો જાહેર થયો હતો તેને અરજદાર દ્વારા ઉપલી કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ પછી ગઈકાલે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી જ્યાં જામનગરની ઉપલી અદાલતના આદેશને જ સ્ટે કરી દેવાયો હતો, એટલે ફરી વખત મેળાનો માર્ગ મોકળો થયો છે.
જો કે, હવે મેળો શરૂ થશે, પરંતુ તમામ લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પછી મેળાના ઉદ્ઘાટનની તારીખ નક્કી થશે.
શ્રાવણી મેળાની અપીલ કોર્ટમાં ચાલતા કાનૂની જંગમાં મહાનગરપાલિકાની તરફેણમાં ગઈકાલે ચુકાદો આવ્યો હતો પરંતુ આજે સવારે સ્ટે મહાનગરપાલિકા રજુ કરી શકી ન હતી.
આથી આ અંગે એફિડેવીટ કરવાની માંગણી કરતા તે માન્ય રાખવામાં આવી હતી. હવે મહાનગર પાલિકા કોર્ટમાં એફિડેવીટ રજુ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial