Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે તંત્ર-વહીવટી તંત્રમાં મંજૂર કામ કયાં અટવાયું ?
ખંભાળિયા તા. ૮: ખંભાળિયા શહેરમાં જામનગર જવાનો રોડ ખૂબ જ મહત્ત્વનો હોય તથા ઈમરજન્સી હોસ્પિટલના કામે આ રોડનો ખૂબ જ ઉપયોગ થતો હોય જવા માટેના તમામ રસ્તા પર રેલવે ફાટકો હોય અન્ય રેલવે ફાટકો પર રેલવે તંત્ર દ્વારા અંડર બ્રીજ મંજુર થયા છે તથા કામો પણ શરૂ થયા છે ત્યારે ખંભાળિયા- જામનગર રોડ પર રેલવે સ્ટેશનથી આગળ ૩૮ કરોડના ખર્ચે અદ્યતન ઓવરબ્રીજ મંજુર થયો હતો.
રાજ્ય સરકારે ૩૮ કરોડ ઓવર બ્રીજના મંજુર કર્યા તે પછી તેનું ટેન્ડર પણ બહાર પડયું અને ટેન્ડર મંજુર થઈ ગયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હજુ કામ ચાલુ જ થયું નથી-ખાતમુહૂર્ત પણ બાકી છે !!
અગાઉ રેલવે તંત્ર દ્વારા આ પુલ બનાવવામાં તેમની જગ્યા આવતી હોવાના મુદ્દે કામ રોકાવ્યું હતું તે પછી ડાયવર્ઝન તથા જગ્યાનો વિવાદ પૂરો થઈ ગયાને પણ ૬ મહિના થઈ ગયા છતાં હજુ કામ ચાલુ થયું નથી. આજે પણ ઈમરજન્સીમાં લોકોના વાહનો ફાટક બંધ હોય ત્યારે ફસાઈ જાય છે. મોટા વાહનો-એમ્બ્યુલન્સ જઈ શકતા નથી ત્યારે સવા વર્ષથી મંજુર થયેલું અને ટેન્ડર બહાર પડયે મંજુર થયાના મહિનાઓ પછી પણ વહીવટી તંત્ર કે રેલવે તંત્રની કઈ ફાઈલોમાં આ કામ અટવાયું છે તે પ્રશ્ન શહેરીજનો પુછી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial