Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કાર્યવાહીઃ
જામનગરના ઢીંચડા રોડ પર રહેતા મહાવીરસિંહ જોરૂભા જાડેજા નામના આસામી ગઈકાલે સાંજે બહારગામ યોજાયેલા લગ્ન પ્રસંગમાંથી પરત આવ્યા ત્યારે સાતરસ્તા નજીકના બસ ડેપોથી રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં પાછળના ભાગમાં તેઓના રૂ.૨૦ લાખ ૩૮ હજારની કિંમતના સોનાના દાગીનાવાળો થેલો ભુલાઈ ગયો હતો. ઘરે પહોંચ્યા પછી અને રિક્ષા રવાના થઈ ગયા પછી મહાવીરસિંહને તેની જાણ થતાં તેઓએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યાે હતો. પીએસઆઈ બી.બી. સીંગલની સૂચનાથી સ્ટાફના પરેશ ખાણધર, પ્રદીપસિંહ, જેસાભાઈ, રીનાબા, પારૂલબા, દિવ્યાબેન, પ્રિતેશ વરણે જુદા જુદા સીસીટીવી જોયા પછી રિક્ષાચાલકનો પત્તો લગાવ્યો હતો અને તે રિક્ષાચાલકને શોધી કાઢી થેલો પરત મેળવી મૂળ માલિકને સોંપી આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial