Advertisement
Author: નોબત સમાચાર

કસ્તુરબા ગાંધી વિદ્યાલય તથા લો કોલેજમાં યોજાયો અવેરનેસ કાર્યક્રમ

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અપાઈ વિગતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના નાઘેડીમાં કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય તેમજ કે.પી. શાહ લો-કોલેજમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જામનગર નજીકના નાઘેડીમાં આવેલા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં તાજેતરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો તેમજ સ્ટાફને સાયબર ક્રાઈમ અંગે વિગતો પૂરી પાડવામાં આવી હતી. જ્યારે જામનગરની કે.પી. શાહ લો-કોલેજમાં પણ સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૧૨૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફને ફેક શોપીંગ વેબસાઈટ, ઈન્સ્ટન્ટ લોન, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે બાબતે વિગતો પૂરી પાડવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh