Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં થયેલી સજા તથા વળતરના હુકમ અપીલમાં રહ્યા યથાવત

રૂા.૮ લાખના ચેક પરતનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક આસામીને રૂા.૮ લાખના ચેક પરતના કેસમાં અદાલતે ફટકારેલી સજા તથા વળતરના હુકમને અપીલમાં સેશન્સ કોર્ટે યથાવત રાખ્યા છે. જામનગરના ભરત કરમશીભાઈ ચોપડા સામે રૂા.૮ લાખના ચેક પરતની પુષ્પરાજસિંહ યુવરાજસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે આરોપી ભરત ચોપડાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી, મીત ઉપાધ્યાય રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh