Advertisement
Author: નોબત સમાચાર

ગોપાલજી સ્વરૂપની ભવ્ય શોભાયાત્રા

દશેરા નિમિત્તે દ્વરકાધીશ મંદિરના રાણીવાસના

                                                                                                                                                                                                      

શ્રીકૃષ્ણની ધર્મભૂમિ દ્વારિકામાં જ્યારે અખિલ બ્રહ્માંડ નાયક શ્રીહરિ બિરાજમાન હોય અને એમના દર્શાવેલા માર્ગ પર જો આપણે ચાલીએ તો પછી જીવનમાં ક્યું કામ એવું છે જે શક્ય નથી. આ પરંપરા પ્રમાણે જ નક્ષત્ર અનુસાર દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દ્વારકાધીશના પટ્ટરાણીવાસમાં બિરાજતા બાળ સ્વરૂપ શ્રી ગોપાલજી મહારાજ સમી ૫ૂજન કરવા વિજ્યાદશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે નીકળેલ. પરંપરાગત રીતે જગતમંદિરના મુખ્ય દ્વાર પાસે પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગોપાલજીની પાલખીયાત્રા પૂજન સામગ્રી સાથે જગન્નાથ મંદિરે (ખારા હનુમાન) પૂજન કરવા જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh